સિસોદિયાને ન મળી કોર્ટમાંથી રાહત : ન્યાયિક કસ્ટડી લંબાઈ 18 એપ્રિલ સુધી ..
- 06 Apr, 2024
દિલ્હી લિકર પોલિસી સંબંધિત થયેલા મની લોન્ડરિંગ કેસમાં આજે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાહત મળી નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી છે. આ કેસની આગામી સુનાવણી હવે 18 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટમાં જ થશે. આ સાથે કોર્ટે EDને જણાવવા કહ્યું કે, દરેક આરોપીએ દસ્તાવેજોની ચકાસણી કરવામાં અત્યાર સુધી કેટલો સમય લીધો છે. જામીન અરજી પર સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, EDને હજુ સુધી સિસોદિયા પાસેથી કંઈ મળ્યું નથી. તપાસ પૂર્ણ થયાને 10 મહિનાથી વધુ સમય થયો હોવા છત્તા EDને કોઈ પુરાવા મળ્યા નથી.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, તેઓ શરતી જામીન પણ સ્વીકારવા તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ કોર્ટના દરેક નિર્ણયને સ્વીકારવા તૈયાર છે. સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડમાં લગભગ 13 મહિનાથી તિહાડ જેલમાં બંધ છે. મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, સિસોદિયાને પણ જામીન મળી શકે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાડમાં બંધ સિસોદિયાએ શુક્રવારે જે પત્ર લખ્યો હતો, તેમાં તેણે આશા વ્યક્ત કરી હતી કે, તે જલ્દીથી જેલમાંથી બહાર આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ